મોઢેરાના સુર્ય મંદિર વિષે કોને નહિ સાંભળ્યું હોય ? ભારતમાં બે સુર્ય મંદિરો આવેલા છે, એક કોનાર્કમાં અને બીજું મોઢેરા માં. મોઢેરા, મહેસાણા થી ૨૫ કી.મી. દુર આવેલું છે. મંદિર ત્રણ ભાગ માં વહેંચી શકાય – કુંડ, સભામંડપ અને ગર્ભગૃહ. ફોટામાં સભામંડપ અને ગર્ભગૃહ દેખાય છે. ૨૩.૫ અક્ષાશ પર આવેલા મંદિર ની રચના ની ખૂબી એ છે કે ૨૧ જુન ના રોજ સવારે સુર્ય નું સીધું કિરણ સભામંડપ માં થઈને ગર્ભગૃહ માં મૂર્તિ ના મુખ પર પડે.
Advertisements