કોટેશ્વર મહાદેવ

કોટેશ્વર મહાદેવ

અરબી સમુદ્રને કિનારે પ્રભાસપાટણમાં બિરાજમાન ‘સોમનાથ મહાદેવ’ જેવું શીવમંદિર અમદાવાદમાં જોવા મળે તો કેવો આનંદ થાય ! હા, આવા દેખાવવાળુ એક મંદિર અમદાવાદમાં આવેલું છે ! એ છે સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડીયમથી આશરે ત્રણેક કી.મી. દૂર સાબરમતી નદીને કિનારે આવેલું કોટેશ્વર મહાદેવ.  નદી કિનારે શાંત વિસ્તારમાં બાગબગીચા ધરાવતું આ મંદિર ખરેખર દર્શનીય છે. એક રવિવારની સાંજ આ મંદિર આગળ ગાળવા જેવી છે. તક મળે તો અહીં શીવજીનાં દર્શન કરવા જરૂર જજો.

પતિ – પત્નીના જોક્સ

વ્હાલા વાચકો, ઘણા દિવસથી હું મારા બ્લોગ પર કંઈ લખી નથી શક્યો. આજે ‘પતિ – પત્નીના જોક્સ’ થી શરૂઆત કરું છું. મજા આવી હોય તો પ્રતિભાવ આપશોજી.

પતિ – પત્નીના જોક્સ

(૧)

સાસુ : જમાઈ, આવતા જન્મે તમે શું થવા ઈચ્છો છો ?

જમાઈ : ગરોળી

સાસુ : કેમ ?

જમાઈ : તમારી દીકરી ફક્ત એનાથી જ બીએ છે.

(૨)

વિનોદ : યાર, આજે મારે ઘેર જવાનું મોડું થઇ ગયું. મારે જલ્દી ઘેર પહોંચવું પડશે.

મારી પત્ની મારા વગર જમતી જ નથી.

મનીષ : ખરેખર ? શું, તારી પત્ની તને આટલો બધો પ્રેમ કરે છે ?

વિનોદ : હા, પણ રસોઈ તો મારે જ કરવાની હોય છે.

(૩)

પત્ની : સાંભળો છો ? અમદાવાદમાં મગજના તાવની બીમારી ફાટી નીકળી છે. આજે જ

મુંબઈની ટીકીટ લઇ આવો. આપણે મુંબઈ જતાં રહીએ.

પતિ : તું ચિંતા ના કર. તને કશું ય નહિ થાય. આ બીમારી એમને લાગુ પડે છે, જેમને

મગજ હોય.

(૪)

દિકરો : પપ્પા, હું એટલો મોટો ક્યારે થઈશ, જયારે મારે બહાર જતી વખતે મમ્મીની રજા

લેવી ન પડે ?

પપ્પા : બેટા, એટલો મોટો તો હજી હું પણ નથી થયો.

(૫)

જગત : યાર મેહુલ, તું બહારગામ તો જાય છે, પણ મારાં લગ્ન વખતે તો પાછો આવી
જઈશ ને ?

મેહુલ : હાસ્તો વળી ! હું મિત્રને મુસીબતના વખતે એકલો છોડી દેવા નથી માગતો.

(૬)

એક ફકીર, તકલીફોને દૂર કરવા માટેનાં તાવીજ બનાવી આપતો હતો. એક વકીલે તેને કહ્યું, ‘એવું તાવીજ બનાવી આપ કે જેનાથી પત્નીની કટકટ ઓછી થાય.’

ફકીરે કહ્યું, ‘એવું તાવીજ જો બનાવી શકાતું હોત તો હું ફકીર થયો ન હોત.’