આપણી વાત – દિવાળી, ત્યારે અને આજે

                                           દિવાળી, ત્યારે અને આજે

કહે છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણી રોજબરોજની જિંદગી જીવવાની પદ્ધતિમાં પણ ફેરફારો થયા જ કરે છે. દિવાળીના તહેવારનું પણ એમ જ છે. પહેલાં દિવાળી કેવી રીતે ઉજવતા હતા, અને આજે દિવાળીના દિવસોમાં શું કરીએ છીએ, એ તમે સહેજ વિચારશો તો ખ્યાલ આવી જશે.

હું અમારી જ વાત કરું. ઈ.સ. ૧૯૫૦થી ૧૯૬૦ના અરસામાં અમે જયારે ગામડામાં સ્કુલમાં ભણતા હતા, એ દિવસો અમને બરાબર યાદ છે. ત્યારે, દિવાળી આવવાના થોડા દિવસો બાકી હોય ત્યારથી જ મનમાં દિવાળીનો ઉમંગ છવાઈ જતો. દિવાળીના ચાર દિવસો ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ – દરમ્યાન કયાં નવાં કપડાં પહેરીશું, તે અગાઉથી નક્કી કરી નાખતા. દિવાળીના અઠવાડિયા અગાઉથી ઘરમાં દિવાળીના નાસ્તા બનવાનું શરુ થઇ જતું. એમાં મોહનથાળ, મેસુર, ઘુઘરા, સુંવાળી, સક્કરપારા, મઠિયાં, સેવ, ચેવડો, ચણાની તળેલી દાળ, પાપડી વગેરે નાસ્તા બનતા હતા. પિતાજી જરૂર પૂરતું દારૂખાનું ખરીદી લાવતા. દિવાળી પહેલાં ઘર એકદમ સાફસુથરું કરી નાખતા.

……અને પછી દિવાળીના દિવસો શરુ થતા. અમને નવાં કપડાં, નાસ્તા ખાવાનું અને દારૂખાનું ફોડવાનું ખૂબ જ ગમતું. દારૂખાનાની વાત કરું તો, – પીળા કલરનો પાવડર જેને અમે ‘પોટાશ’ કહેતા, તેની નાની નાની ગોળીઓ બનાવી, ‘U’ આકારના ચીપિયાની ખાંડણીમાં ગોઠવી, પત્થર પર ચીપીયો જોરથી અફાળતાં, મોટો અવાજ થતો. સ્ત્રીઓના કપાળમાં લગાડવાના લાલ ચાંલ્લા જેવા આકારની ટીકડીઓ ચીપિયા કે પત્થરથી ફોડતા. સાંજે કોડિયા કે મીણબત્તીથી નાનામોટા ટેટા, તારામંડળ, ભોંયચકરી, બલુન અને હવાઈનો આનંદ માણતા.

બહેન, ઘરના આંગણામાં રોજ રંગોળી પૂરતી. સાથીયો બનાવી તેમાં જાતજાતના રંગ પૂરતી. ઘરમાં એક ટાઈમના જમવામાં પેલો નાસ્તો જ હોય. એની ખૂબ મજા આવતી. સાંજ પડે ઘરના આંગણામાં દિવેલથી સળગતાં કોડિયાં કે મીણબત્તીઓની હારમાળા ગોઠવતા. દિવાળી દરમ્યાન રોજ મંદિરમાં દર્શન કરવા અચૂક જતા. દિવાળીના તહેવારોને અનુલક્ષીને મંદિરમાં પણ ખાસ ઉજવણી થતી.

ધનતેરસના દિવસે દરેક કુટુંબ, પોતાને ત્યાં લક્ષ્મીજીનું પૂજન કરતા, અને આજુબાજુમાં દૂધ કે અન્ય પ્રસાદ વહેંચતા. કાલીચૌદસના દિવસે ગામની બહાર આવેલા માતાજીના સ્થાનકે જવાનો રીવાજ હતો. બેસતા વર્ષને દિવસે, સરસ્વતી દેવીનું અને નવા ચોપડાનું પૂજન થતું. ગોળધાણાનો પ્રસાદ વહેંચાતો. સહુથી વધુ અગત્યની વાત તો એ હતી કે બેસતા વર્ષને દિવસે સાંજે, વડિલો ગામના દરેક જણને ત્યાં જઇ, તેમને મળતા, ભેટતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા. અમે છોકરાઓ પણ તેમની સાથે સાથે દરેકના ઘેર જતા. ગામમાં આ માહોલ બહુ ભવ્ય લાગતો, અને ભાઈચારાની ભાવના જોવા મળતી. ઘરમાં વડિલોને પગે લાગવાનું તો ખરું જ.

દિવાળીના દિવસોમાં બહારગામનાં સગાંવહાલાં અને મિત્રોને ‘નૂતન વર્ષાભિનંદન’નાં દિવાળી કાર્ડ ટપાલથી લખવાની પ્રથા હતી. અમે આ કાર્ડ લખવામાં ખાસ રસ લેતા. ટપાલમાં અમારાં કાર્ડ આવે એની રાહ પણ જોતા. ટપાલખાતામાં દિવાળી પછીના થોડા દિવસો સુધી ટપાલનો જથ્થો ખૂબ રહેતો. મારી ઉંમરના દરેકે આવી દિવાળીઓ માણી હશે.

……અને આજે? આજે દિવાળીના તહેવારોની શું પરિસ્થિતિ છે? કદાચ ગામડાંમાં, આમાંથી થોડીઘણી બાબતો બચી હશે. પણ અમે મોટા ભાગના લોકો તો શહેરોમાં વસી ગયા છીએ. અહીં સાદા દિવસો અને દિવાળીના દિવસો વચ્ચે કોઈ ભેદ દેખાતો નથી. દિવાળીમાં ચારેક રજાઓ મળે એટલે, ઘણા લોકો તો ઘર બંધ કરીને ક્યાંક ફરવા કે રીસોર્ટમાં રહેવા ઉપડી જાય છે. એકબીજાને ત્યાં મળવા જવાનું તો સદંતર બંધ થઇ ગયું છે. દિવાળી કાર્ડ લખવાની પ્રથા સાવ ભુલાઈ ગઈ છે. મોબાઈલથી શુભેચ્છાઓ પાઠવી દેવાય છે. અને બીજી એક બાબત એ જોવા મળે છે કે લોકો દિવાળી કરતાં નાતાલને વધુ રંગેચંગે ઉજવે છે. અમદાવાદમાં નાતાલને દિવસે બધા લોકો બહાર કોઈ મોટા રોડ પર ભેગા થઇ નાતાલ મનાવે છે. શું આપણે જ આપણી દિવાળી ભૂલી જવાની? આપણો ભાઈચારો ક્યાં ખોવાઈ ગયો?

IMG_2209

DSCF1158

DSCF1116

DSCF1161

અમરકંટક, નર્મદા નદીનું ઉદગમસ્થાન 

અમરકંટક, નર્મદા નદીનું ઉદગમસ્થાન 

(૧) અમરકંટક: અમરકંટક એ નર્મદા નદીનું ઉદગમસ્થાન છે. નર્મદા ઉપરાંત, સોન અને જોહીલા નદીઓ પણ અમરકંટકમાંથી નીકળે છે. નર્મદા, નર્મદા કુંડમાંથી નીકળે છે, અને મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં થઈને અરબી સમુદ્રને મળે છે. સોન નદી સોનમુડા આગળથી નીકળે છે, અને બિહારમાં ગંગાને મળે છે. નર્મદા કુંડ આગળ ઘણાં મંદિરો છે. કાલાચુરીનું પુરાણું મંદિર નર્મદા કુંડની નજીક આવેલું છે. અમરકંટક ગામમાં કબીર ચબૂતરા છે, જ્યાં બેસીને કબીરે ધ્યાન ધર્યું હતું. અમરકંટકમાં માઈ કી બગીયા, જૈન મંદિર, સોનાક્ષી શક્તિપીઠ વગેરે છે. અમરકંટકમાં હોટેલ હોલીડે હોમ્સ સરસ છે. બીજી ઘણી હોટેલો છે. અમરકંટક, જબલપુરથી ૨૨૩ કી.મી. દૂર છે. અમદાવાદથી ભોપાલ અને જબલપુર થઈને અમરકંટક જવાય છે. કુલ અંતર આશરે ૧૧૬૪ કી.મી. જેવું છે.

(૨) કપીલધારા ધોધ: આ જગા નર્મદા કુંડથી ૬ કી.મી. દૂર છે. અહીં નર્મદા નદી ધોધરૂપે ૧૦૦ ફૂટ ઉંચેથી પડે છે. નર્મદા શરુ થયા પછીનો આ પહેલો ધોધ છે. કપીલ ઋષિ આ જગાએ રહ્યા હતા, અને તપ કર્યું હતું. અહીં ઉપર કપીલમુનિનો આશ્રમ છે અને જ્વાલેશ્વર મહાદેવ મંદિર છે. આજુબાજુ જંગલો અને ટેકરીઓ છે. લોકો અહીંથી પત્થર શીવલીંગ તરીકે લઇ જાય છે. કપિલધારા આગળ વાંદરા ઘણા છે. અમરકંટકથી કપીલધારા સુધી વાહનો જઇ શકે એવો રસ્તો છે.

(૩) દુગ્ધધારા ધોધ: કપીલધારાથી ૧ કી.મી. આગળ દુગ્ધધારા છે. અહીં પણ નર્મદા ધોધરૂપે પડે છે. આ ધોધની ઉંચાઇ લગભગ ૧૦ ફૂટ જેટલી જ છે. અહીં ધોધનાં પાણી દૂધ જેવાં સફેદ હોવાથી, આ ધોધને દુગ્ધધારા કહે છે. અહીં નહાવાય એવું છે. આ ધોધ આગળ ઘણાં મંદિરો અને આશ્રમ છે. કલ્યાણ આશ્રમ અને નર્મદા મંદિર ખાસ જાણીતાં છે. એક ગુફામાં ધ્યાન ધરતા ઋષિનું સ્ટેચ્યુ છે, અહીં મહર્ષિ દુર્વાસાએ તપ કર્યું હોવાનું કહેવાય છે.

તસ્વીરો ગુગલ વેબસાઈટ પરથી લીધી છે. (૧) થી (૪) અમરકંટક (૫) કપિલધારા ધોધ (૬) દુગ્ધધારા ધોધ

1a_Amarkantak kund temple

1b_Narmada udgam temple

1c_Amarkantak

1d_Shri Yantra temple

2_Kapildhara

3_Dugdh dhara

 

સાંચી સ્તૂપ

                                                            સાંચી સ્તૂપ

સાંચી, ભોપાલથી વિદિશા તરફના રસ્તે તે ૪૮ કી.મી. દૂર આવેલું છે. ભોપાલથી વિદિશા ૫૭ કી.મી. છે. આ સ્તૂપ, મૌર્ય રાજા અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે તે ઈ.સ. પૂર્વે ૩જી સદીમાં બંધાવ્યો હતો. સ્તૂપ ૧૬ મીટર ઉંચો છે. સ્થાપત્ય બૌદ્ધ શૈલીનું છે. પત્થરના અર્ધગોળાકાર ઘુમ્મટની અંદરનું બાંધકામ ઇંટોનું છે. વચ્ચેના હોલમાં બુદ્ધ સંબંધી ચીજો રાખેલી છે. સ્તૂપની ફરતે ગેલેરી છે, તથા ચાર દિશામાં ગેટ છે. બાજુમાં બે થાંભલા પર કલાત્મક બાંધકામ છે. આ એક જાણીતું બૌદ્ધ સ્મારક છે. હજારો લોકો જોવા આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં છે. જોવા માટે નવેમ્બરથી માર્ચનો સમય વધુ અનુકુળ છે. અહીં ચેટીયાગિરિ બૌદ્ધ મંદિર છે. આ સ્તૂપ, એક વિહાર છે.

1_Sanchi stupa

2_Sanchi stup

3_Gate to the Stupa

4_Pillar of the date

5_Arch of the gate

6_Carving on pillar

7_Carving of prayer

8_Carving

9_Elephants carving