સંસ્કાર કેન્દ્ર, પાલડી

                           સંસ્કાર કેન્દ્ર, પાલડી

અમદાવાદના અતીતની ઝાંખી કરવી હોય તો અમદાવાદમાં પાલડીમાં આવેલુ સંસ્કાર કેન્દ્રનું મ્યુઝીયમ જોવું જોઈએ. આ કેન્દ્ર લા કાર્બુઝીયરે ૧૯૫૪માં સ્થાપ્યું હતું.

અહીં પેસતામાં જ સામે સરદાર પટેલનું સ્ટેચ્યુ નજરે પડે છે. બાજુમાં જ સને ૧૯૦૭ની સાલનો ફાયર બ્રિગેડનો ટ્રક દેખાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કલાત્મક કોતરણીવાળાં જૂનાં શિલ્પો, બે ચબૂતરા, રાણી વિક્ટોરિયાનું સ્ટેચ્યુ વગેરે છે. બાજુના એક રૂમમાં જૂની ફિલ્મોનાં પોસ્ટરો, જૂના જમાનાનું રેકોર્ડ પ્લેયર, કેસેટ પ્લેયર, વાલ્વવાળો જૂનો રેડિયો વગેરે મૂકેલાં છે. બાજુની રૂમમાં પતંગ મ્યુઝીયમ છે. એમાં જાતજાતના પતંગોનો સંગ્રહ કરેલો છે.

ઢાળ ચડીને પહેલા માળે જતાં, અહીં જૂના જમાનાનો વિશાળ સંગ્રહ નજરે પડે છે. અહીં, હિંદુ વૈષ્ણવ, શિવ, જૈન, સ્વામીનારાયણ, શીખ, પારસી તેમ જ મુસ્લિમ ધર્મનાં મંદિરો, ભગવાન, ચિત્રો, લખાણો અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓનો સંગ્રહ છે. ગુજરાતના કવિઓ અને લેખકોનાં ચિત્રો તથા બાજુમાં તેમણે લખેલાં પુસ્તકોનો માહિતી દર્શાવી છે. જૂનાં પૂરાણાં વાસણો, રસોઈનાં સાધનો, ઘંટી, મજૂસ, લાકડાનાં કલાત્મક બારણાં, કપડાં પરની ડીઝાઈનો, હાથશાળ, બાટીક કલા, સ્વાતંત્ર્ય સંગ્રામને લગતાં ચિત્રો, ચિત્રકારોનાં ચિત્રો, જૂના કેમેરા, જૂનાં વાજિંત્રો – એમ ઘણી જ વસ્તુઓ અહીં જોવા મળે છે.

આ બધું જોઇને જૂનું અમદાવાદ કેવું હશે, એની કલ્પનામાં તમે ખોવાઈ જાઓ છો, અને અનાયાસે જ તમે તેની આજના જમાના જોડે સરખામણી કરવા લાગો છો. એક વાર આ બધું જરૂર જોવા જેવું છે.

પાર્કીંગ: છે.

ટીકીટ: ફ્રી

સમય: મ્યુઝીયમ જોવાનો સમય સવારના ૧૦-૩૦ થી સાંજના ૬ સુધીનો છે. સોમવારે બંધ.

ફોન નંબર: ૦૭૯ ૨૬૫૭ ૮૩૬૯ છે.

ફોટા: અંદર ફોટા પડવાની મનાઈ છે. બહારથી ફોટા પાડવાની છૂટ છે.

1_sanskar kendra

4

5a

8a

11

12

13a_kite museum

14

કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝીયમ

                                          કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝીયમ

શાહીબાગમાં આવેલું આ મ્યુઝીયમ ફેબ્રુઆરી ૨૦૧૭માં શરુ થયું છે. તે જાણીતા ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈના બંગલામાં જ શરુ કરાયું છે. એમાં કસ્તુરભાઈએ એકઠા કરેલાં હજારથી પંદરસો વર્ષ જૂનાં પેઈન્ટીંગ અને શિલ્પો છે. અહીં મુગલ, ડેક્કન અને રાજસ્થાની પેઈન્ટીંગનો સંગ્રહ છે. આ ઉપરાંત પત્થર, ધાતુ અને લાકડા પરની કારીગરી, અંગ્રેજોના જમાનાનાં પોસ્ટકાર્ડ તથા અન્ય ચીજો પણ છે. આ મકાન ૧૯૦૫માં બનેલું છે. મકાનનું હેરીટેજ મૂલ્ય જાળવી રખાયું છે.

આ મ્યુઝીયમ, કેલિકો મ્યુઝીયમની નજીક છે. શાહીબાગના અન્ડરગ્રાઉન્ડ રોડથી, એરપોર્ટ તરફ જવાને બદલે, એની વિરુદ્ધ દિશામાં જતાં, તરત જ કેલિકો મ્યુઝીયમ આવે, પછી થોડું આગળ જતાં આ મ્યુઝીયમ આવે.

મ્યુઝીયમમાં રોજ દસ, બાર, અઢી અને ૪ વાગે ગાઈડેડ ટુર હોય છે. આ માટે આ નંબર પર બૂક કરાવવું. ૦૭૯-૨૨૮૬ ૫૪૫૬. મ્યુઝીયમ બુધવારે બંધ હોય છે. પાર્કીંગની વ્યવસ્થા છે. અંદર ફોટા પાડવાની મનાઈ છે. બહારથી ફોટા પાડી શકાય છે.

અન્ય ફોન નંબરો: ૦૭૯ ૨૨૮૬ ૬૩૭૬, ૭૮૭૪૩ ૪૧૭૯૭, ૯૪૨૬૮ ૦૫૦૫૩

1_img_2691

3_img_2688

5_kasturbhai-lalbhai-museum

6

7_kl museum

8_contemporary art kl

9_img_2685

11_img_2695

 

 અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ

                                 અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી વિસ્તારમાં આવેલું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ (એલ.ડી. મ્યુઝીયમ) તો તમે જોયું જ હશે. ગુજરાત યુનીવર્સીટીનાં બસ સ્ટેન્ડની એક બાજુ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ છે, તો બીજી બાજુ એલ.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજીનું મકાન છે. ઇન્ડોલોજીની ઓફિસની જોડે જ આ એલ.ડી. મ્યુઝીયમ આવેલું છે.

આ મ્યુઝીયમ ૧૯૫૬માં સ્થપાયું છે. મ્યુઝીયમમાં મધ્યયુગ અને જૂના જમાનાનાં પત્થરનાં શિલ્પો, ટેરાકોટા, કાંસા અને પિત્તળની મૂર્તિઓ, માર્બલની મૂર્તિઓ, લક્કડકામ, પેઈન્ટીંગ, કાપડ પર ચિત્રકલા, જૂના સિક્કા વગેરે ચીજોનો સંગ્રહ છે. અહીં જૈન મૂર્તિઓ ઉપરાંત બૌદ્ધ અને હિંદુ દેવીદેવતાઓનાં શિલ્પો છે. આ બધાં શિલ્પો સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત કરાયેલાં છે. મ્યુઝીયમમાં જૈન ગ્રંથોની જૂની હસ્તપ્રતો અને છાપેલાં પુસ્તકોનો પણ સારો સંગ્રહ છે. મ્યુઝીયમમાં અલગ અલગ વિભાગો છે. ચોખ્ખાઈ તો ખૂબ જ છે.

આ મ્યુઝીયમ ઉભું કરવાનું શ્રેય મુનિશ્રી પુણ્યવિજયજી અને અને શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ફાળે જાય છે. મુનિશ્રી વિદ્વાન સાધુ હતા અને કસ્તૂરભાઈ મોટા ઉદ્યોગપતિ હતા.

મ્યુઝીયમમાં ઘણી જાતની પ્રવૃત્તિઓ થાય છે, ઘણા પ્રસંગો યોજાય છે. ક્યારેક ખાસ પ્રદર્શનો ગોઠવાય છે, તો ક્યારેક કલા, સંસ્કૃતિ અને આપણા વારસાને લગતાં પ્રવચનોનું આયોજન થાય છે. સ્કુલકોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ માટે ગાઈડની વ્યવસ્થા પણ થાય છે.

મ્યુઝીયમના મકાનના વિશાળ આંગણમાં બગીચો અને પુષ્કળ ઝાડ ઉગાડેલાં છે. મ્યુઝીયમ જોવાની જરૂર મજા આવે એવું છે. મ્યુઝીયમમાંથી ઘણું જાણવાનું મળે છે.

મ્યુઝીયમ જોવા માટે કોઈ ટીકીટ નથી. પાર્કીંગની વ્યવસ્થા છે. મ્યુઝીયમ જોવાનો સમય સવારના સાડા દસથી સાંજના સાડા પાંચ સુધીનો છે. સોમવારે અને જાહેર રજાના દિવસોએ મ્યુઝીયમ બંધ રહે છે. સંપર્ક માટેના ફોન નંબર (079) 2630 6883, 2630 9167 અને 2630 2463 છે. મ્યુઝીયમના ફોટા બહારથી પાડી શકો શકો છો, અંદર ફોટા પડવાની છૂટ નથી.

અહીં મ્યુઝીયમના થોડા ફોટા મૂક્યા છે, તે જુઓ.

1_LD Institute of Indology

3

4

5

Budhdha head, Gandhara, 5th century

Parshvnatha, Ladol, 11th century